કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 28 નવેમ્બર, 2013

એમને સુરક્ષાની જરૂર હતી ......


ગુજરાતના ગામે ગામે દલિતો પર થયેલા અત્યાચારોના કેટલાક બનાવો અહીં રજુ કર્યા છે, જે ખરેખર છે હિમશીલાના ટોચકા બરોબર. એવા રાજ્યમાં જ્યાં હિન્દુ સમરસતાની દુહાઈ દેનારાઓ ગટરના કીડાઓની જેમ ઉભરાય છે. એમને સુરક્ષાની જરૂર હતી અને છે, પરંતુ ગૃહપ્રધાન કોઈ યુવાન છોકરીની જાસુસીમાંથી નવરો જ ના પડ્યો.

તા. 21-2-11. અમદાવાદના સરસપુર વિસ્તારના ઇંટવાડાથી ચીમનભાઈ આગજાના પુત્ર જયેશની જાન મહેસાણાના ડાંગરવા ગામે ગઈ હતી. જાનમાં વરઘોડો કાઢતા તે ગામના દરબારોએ હુમલો કરી, હલ્લો મચાવ્યો અને પોલીસ ફરીયાદ પછી પોલિસ બંદોબસ્ત હોવા છતાં પોલીસ પર પણ પત્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મોટાભાગના જાનૈયાઓ ઘવાયા હતા. બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળરા જાનને રવાના કરવામાં આવી હતી.

25-8-11. મહેસાણાના મુંદરડા ગામે ખોડીયાર મંદિર પાસેના મહોલ્લામાં સફાઈ કરતા બે વાલ્મીકિ કામદારોને સવર્ણોએ લાકડીથી ઢોર માર મારી જાતિ વિશે ખરાબ શબ્દો કહ્યા હતા. આ બંને ઇસમો સામે લાંઘણજ પોલીસ સ્ટેશને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

તા.26-5-12. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં રવિપાર્કમાં ભાનુબેન મોરડીયાએ કોર્પોરેટર કલાવતી યાદવના ભત્રીજા પાસેથી મકાન વેચાતુ લીધું હતું. આ મકાનના રૂ. બે લાખ બાકી હતા તેથી કોર્પોરેટર કલાવતી અને અન્ય મવાલીઓ મકાન ખાલી કરાવવા ભાનુબેન પાસે આવ્યા અને ઝઘડો કર્યો, અને તેમની જાતિ વિરુદ્ધ અપશબ્દો બોલીને ધમકી આપી હતી કે ફરીયાદ નોંધાવશો તો જાનથી મારી નાંખીશું.

તા.18-10-10. અમદાવાદના નરોડા ક્રોસીંગ નજીક વાલ્મીકિ વાસમાં રહેતા દિનેશભાઈ મકવાણા તેમના ભાઈ-ભાભી સાથે સરદારનગર શાળાના કમ્પાઉન્ડમાં ગરબા જોવા ગયા હતા ત્યારે નોબલનગરના કોર્પોરેટર બહાદુરસિંહ નટુભા વાઘેલા અને તેમના અન્ય સાગરીતોએ હડધૂત કરી દિનેશભાઈની જાતિ વિષે અપશબ્દો બોલી, તેમના ભાઈ-ભાભીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી.

તા.2-6-2012. અમદાવાદના બાપુનગર વિસ્તારના આનંદ ફ્લેટ ખાતે પ્રકાશભાઈ ગોવિંદભાઈ પરમાર રહે છે અને તેમના પત્નિ પાર્વતી ગર્ભવતી છે. તેમને તેમના પડોસી પ્રધ્યુમન સાથે ઝગડો થતા પ્રધ્યુમન અને તેમના પત્નિ-પુત્રએ સાથે મળી ગર્ભવતી પાર્વતી બહેનને પેટમાં લાતો મારેલી તેઓ બેભાન અવસ્થામાં પડી જતા આજુ-બાજુના લોકોએ દવાખાને પહોંચાડેલ જ્યાં તબીબોએ ગંભીર હોવાનું જણાવેલું.

તા.17-5-12. અમદાવાદ વટવા વિસ્તારના શાહવાડી ગામ ખાતે દલિત યુવક અને તેમના પિતા પર ભરવાડોએ નજીવી બાબતમાં હુમલો કર્યો હતો, અને થોડી જ વારમાં બંને પક્ષના લોકો સામસામે આવી ગયા હતા અને જોરદાર પત્થરમારો થયો હતો, પોલીસ સ્ટેશનના રીપોર્ટ મુજબ ભરવાડોએ ડૉ. આંબેડકરના સ્ટેચ્યુ પર પણ પત્થરમારો કર્યો હતો.

તા.16-4-12. પાટણના વામૈયા ગામેના વાલ્મીકી પ્રહલાદભાઈ ગાંડાભાઈ અને મિત્રો મજુરીએથી પરત આવી રહ્યા હતા ત્યારે ભાજપના કાર્યકર ભલાભાઈ દેસાઈએ પ્રહલાદભાઈને જાતિ વિશે ખરાબ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તા.18-3-12. મહેસાણાના બેચરાજી તાલુકાના મંડાલી ગામમાં રહેતા પરમાર હરજીભી ચેલાભાઈએ સરકારી જમીનમાં ઘાસચારા માટેની કુડેલીમાં ઢાળીયું બનાવ્યું હતું, પરંતુ ગામના સરપંચ ઈશ્ર્વરભાઈએ દબાણ કરી તેને તોડી પાડવા તજવીજ કરી હતી ત્યારે ગામમાં રબારી સમાજના અન્ય લોકોએ પણ ઢાળિયાં બંધાવેલ છે તે કેમ તોડી પડાતા નથી આવી વાત કરતા હરજી પરમાર પર સરપંચ સહીત અન્ય લોકોએ હુમલો કર્યો હતો.

તા.19-7-10. સુરેન્દ્રનગરના મૂળી ગામે દારુની મહેફિલ માણતા ચાર દરબાર સખ્શો સાથે જેઠાભાઈ વેગડા અને તેમની માતાને બિભત્સ ગાળો બોલી આબરુ લેવાનો પ્રયત્ન કરતા ઝગડો થયેલમોડી રાત્રે આ ચાર સખ્શો હથિયાર સાથે આવી ઓરડીમાં સુતેલ જેઠાભાઈનું ઢીમ ઢાળી દીધું હતું.

તા.31-3-10. સુરેન્દ્રનગરના કરાડી ગામે કેટલાક લુખ્ખા અને અસામાજિક તત્વો દારુ પીને જુગાર રમતા અને ગામમાં જતી આવતી દલિત સમાજની બહેન દિકરીની મશ્કરી કરતા ત્યારે હૈદરાબાદમાં ફરજ બજાવતા દલિત સમાજના એક લશ્કરી જવાન દિનેશભાઈએ આવું ના કરવા કહેતા લુખ્ખાઓએ 42 ગોળીઓ ધરબી લશ્કરી જવાનની સ્થળ પર જ કરપીણ હત્યા કરી હતી. અમીત શાહે એવું કહ્યું કે "હથિયાર લાયસન્સ રદ કરવા 2009માં નોટીસ આપેલી પણ હથિયાર પાછું સોંપાયુ નહિ ત્યાં જ બીજો બનાવ બન્યો જે સરકાર ગંભીરતાથી લઈ રહી છે."
 
તા.10-12-09. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના બોડકા ગામે પરસોત્તમભાઈ વસરામભાઈનું ખેતર એક દલિત ખેડૂત ખીમજી રાઠોડે વાવણી કરવી માટે રાખેલું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ખેતરમાંથી નિકળી જવાની ધમકી આપી ઊભો પાક લણી લીધો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

તા.26-12-09. અમદાવાદ શહેરમાં જ એક દલિત પર ચાર-ચાર વખત જીવલેણ હુમલો કરવામાં આવેલો અને તેનું ઘર તથા અગરબત્તીનું નાનું કારખાનું પણ સળગાવી દેવામાં આવ્યું અને ચાર વખત એફ આઈ આર પણ ફાડવામાં આવેલી છતાં પોલીસ તેમની ધરપકડ કરતી નથી.

તા.1-6-11. અમદાવાદના ધંધુકા તાલુકાના ઘનબા ગામના દલિત ખેડૂતોએ સરકાર આપર રોપ મુકતા જણાવ્યું કે સરકારે અમારી જમીન ઝુંટવી લીધી છે. 1953માં સરકારે 35 પરીવારોને જમીન આપી હતી, જેના ડેપ્યુટી કલેક્ટરે બળજબરીપૂર્વક કબજાના અધિકારો ખડૂતો પાસેથી મેળવી લીધા હતા અને 21 ડીસે. 2011માં નવા ઓર્ડર મુજબ 15 એકર જમીન ઘટાડીને 3 એકર જમીન કરી નાખી હતી અને મહેસુલ અધિકારીએ નવા ઓર્ડરમાં 1963 પહેલા જ ચાર ખેડુતો મૃત્યું પામ્યા છે એવું લખી નાખેલું.

તા.26-7-09. વેરાવળ તાલુકાના ઓજી વિસ્તારમાં આવેલ હુડકો સોસાયટીમાં પાણી ભરાઈ જતા તે વિસ્તારમાં રહેતા ગરીબોને સમયસર ભોજન મળ્યું  નહોતું. જેમાં એક દલિતનું મૃત્યું થયું હતું. મૃતદેહ લેવા ગયેલા લોકોએ જણાવ્યું હતુ કે સાડા ત્રણ વર્ષની તેમની પુત્રી અને દોઢ વર્ષનો પુત્ર ભૂખ લાગી છે એવું બોલી રહ્યા હતા.

તા. 24-8-09. જૂનાગઢ શહેરના ગાંધીગ્રામના પંચેશ્વર વિસ્તારમાં રહેતા દલિત યુવાન ગીરીશ રાઠોડ (ઉ.વ.39)ને રબારી શખ્સોએ એક થઈ હુમલો કરતા તેમનું મૃત્યુ થયું હતું.

તા. 24-8-09. કેશોદ તાલુકાના મંગલપુરમમાં દલિત શખ્સે ગૌચર પર કરેલા ગેરકાયદેસર પ્રવેશ બાબતે ઉપસરપંચ તથા તલાટી સહિત અન્ય આઠ લોકોએ સાથે મળી જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેમના પત્ની બચાવવા જતા તેમને પણ આ શખ્સોએ ઢોરમાર મારતા બંનેને જૂનાગઢ સીવીલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

તા.6-2-10. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના કાલાવડ ગામે દલિત યુવાન ભરત ધાંધલ પર વિસાવદર વિસ્તારના ભાજપના ધારાસભ્ય કનું ભલાના ભત્રીજાએ હમલાઓ કરી હત્યા કરવાનો પ્રયાસ કરેલ તથા ખેડા જિલ્લાના તીતાડા ગામે ગ્રામપંચાયતના ચૂંટાયેલા ભાજપના ઉમેદવારોએ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો