કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 1 માર્ચ, 2014

નગીનદાસ જેવા પત્રકારોને હાથે લકવો લાગી જાય તો આપણને કોઈ બૌદ્ધિક ખોટ પડે ખરી?


દિવ્ય ભાસ્કરમાં નગીનદાસ સંઘવી ભારતમાં મહિલાઓ પર થતા દુષ્કર્મોની વાત માંડતા એ બાબતે દુખ વ્યક્ત કરે છે કે નેતાઓની સલામતી પાછળ કરોડો રૂપિયા ખર્ચાય છે. પછી આંધળા નગીનદાસને સમગ્ર દેશમાં એક જ નેતા દેખાય છે. માયાવતી. અને ગાંડો ગાંધીવાદી કહે છે કે માયાવતી જેવા નેતાઓની સુરક્ષા પાછળ શા માટે આટલો ખર્ચો થવો જોઇએ. અને કહે છે કે આ માયાવતી જેવા નેતાઓ મરી જાય તો દેશને શું નુકસાન થવાનું છે. 

અમે માયાવતીના ભક્ત નથી. મુદ્દો અહીં એટલો જ છે કે આજે દેશમાં સૌથી વધારે ખર્ચ અને એ પણ ભયાનક ખર્ચ કોઇની પણ સુરક્ષા પાછળ થતો હોય તો તે છે ગુજરાતનો ફેંકુ. જેણે દંગા રોકવાના બદલે દંગાઈઓએ પ્રોત્સાહન આપ્યું અને પરિણામે આજે એ જ્યાં જાય છે ત્યાં પ્રજાનો પરસેવાનો પૈસો તેની સુરક્ષામાં વપરાય છે. નગીનદાસે મોદીનો દાખલો આપવાને બદલે માયાવતીનો આપ્યો એ તેમનું જાતિવાદી માનસ સૂચવે છે. નગીનદાસ જેવા પત્રકારોને હાથે લકવો લાગી જાય તો આપણને કોઈ બૌદ્ધિક ખોટ પડે ખરી?

1 ટિપ્પણી: