કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 12 નવેમ્બર, 2012

ગુણવંત શાહની સેક્યુલારિઝમ પર એક વધુ લવારી


ગુણવંત શાહે ગઇ કાલે દિવ્ય ભાસ્કરમાં લવારી કરી એની રોજની આદત પ્રમાણે સેક્યુલારિઝમ પર. લખે છે ગોવામાં ભાજપની ટીકીટ પર છ ખ્રિસ્તી ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. એને ગુણવંત સેક્યુલારિઝમનો વિજય ગણાવે છે અને ગુજરાતમાં ભાજપને મુસલમાન ઉમેદવારો ઉભા રાખવાની સલાહ આપે છે. છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં મુસલમાનોને રાજકીય રીતે ખતમ કરવા માટે શંભુ મહારાજ, અશોક ભટ્ટ, નરેન્દ્ર મોદી, તોગડીયા, અશોક સિંઘલ, મુરારીલાલ, કે કા શાસ્ત્રી જેવા લોકોએ રાતદિવસ ઉજાગરા કર્યા, ગલીએ ગલીએ પોલિસની નજર સામે સરેઆમ ત્રિશુળો વહેંચ્યા, બાબરી મસ્જિદ તોડી, સમગ્ર પોલિસ તંત્રને કોમવાદી રંગે રંગ્યું અને તેની પરાકાષ્ટારૂપે 2002માં રાજ્ય-પ્રેરીત નરસંહાર રચ્યો અને તેને પરીણામે હવે મુસલમાનોના માંડ ત્રણ પ્રતિનિધિઓ ધારાસભામાં બેસે છે. 1981માં માધવસિંહ સોલંકીના કાળમાં નવ ધારાસભ્યો મુસલમાન હતા. કોંગ્રેસે લઘુમતીનું તુષ્ટિકરણ કર્યું, પરંતુ ભાજપે તો લઘુમતીનું સત્યાનાશ કરવાના જ ષડયંત્રો રચ્યા છે. (અને એક રીતે જોઇએ તો ભાજપ કોંગ્રેસની જ પેદાશ છે) અને સૌથી મોટી ભયાનક વાત તો  ગુણવંતને ખબર જ નથી કે આવો હિન્દુવાદ દલિતો-આદિવાસીઓને સૌથી મોટું નુકસાન કરી ગયો. એમના મુદ્દાઓ ચૂંટણીમાં એજન્ડા પર આવતા જ નથી. ગુણવંત શાહ ક્યાં સુધી લોકોને મુર્ખ બનાવતા રહેશે?

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો