કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 20 એપ્રિલ, 2013

શંકર પેન્ટર - કર્મશીલોના કવિ



પ્રો. પી. જી. જ્યોતિકર

ચિત્રકાર શંકરની સાહિત્ય સંપદા વિદ્રોહ મૂલક કવિતા બૂંગિયો વાગે’, ‘દાત્તેડાના દેવતા’, ‘હાચ્ચે હાચ્યું’ ‘બોલનઅ-ફાડ્યા’ ? વિશે દલિત સાહિત્યના દિગ્ગજ સાક્ષરો જેવા કે જોસેફ મેકવાન, ડૉ.મોહન રમાર, હરીશ મંગલમ્‌, દલપત ચૌહાણ, ડૉ.નાથાલાલગોહિલ ઈત્યાદિએ હેતના હુલાળે ઓવરણા લીધાં જ છે. જોસેફ મેકવાને શંકરને સતસૈયા સાથે સરખાવ્યા છે. તો ડૉ.ભરત મહેતાએ વિદ્રોહમૂલક કવિ કહ્યાં છે. સાહિલે તો આખાબોલા અખા અને મેઘાણીના વારસદાર કહ્યા છે ! તે જ તરાહ કર્મશીલ રાજુ સોલંકી એ ક્રાંતિકારી સલામ કરી છે. દલિત પત્રકારત્વ ક્ષેત્રે નબળાના બલવીર ચિત્રકાર કવિ શંકર મેહનતકશ મેહનતકશ લોકોના મુખપત્ર voice of the weakશ્રી જી. બી.પરમાર સાથે ૧૯૯૦-૯૪ના અરસામાં માસિક પત્રોનું વર્ષો સુધી સંપાદન કરી કર્મશીલ તરીકે આગવી પ્રતિભાની પ્રતીતિ કરાવી છે. સામાન્યતઃ સામાન્યતઃ કેટલાક માત્ર કવિ જ છે. તો કેટલાક માત્ર વાર્તાકાર લેખક છે. જ્યારે ચિત્રકાર કવિ શંકર તો સાથીદારો સાહિલ પરમાર, રાજુ સોલંકી, કનુ સુમરા કર્દમ સાથે શેરી નાટકો કર્યા છે. શેરીએ શેરીએ, ચાલીએ ચાલીએ ચાલી પોતાના પહાડી બુલંદ અવાજથી દલિતોમાં જાગૃતિ આણવાનું કઠીન કાર્ય કર્યું છે. જેનો હું ચશ્મદીદ ગવાહ છું. વળી  કયાંક આયોજક પણ રહ્યો છું.

(ભીમકથા અમૃતમની પ્રસ્તાવનામાંથી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો