કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 8 એપ્રિલ, 2013

સમાનતાનો સંઘર્ષ બાબાસાહેબના માર્ગે જ શક્ય છે, ગાંધી માર્ગે નહીં



બાબાસાહેબ આંબેડકરની ૧૨૨મી જન્મજયંતી આવી રહી છે. આપણે સહુ બાબાસાહેબની જન્મજયંતી ધામધૂમથી મનાવવા થનગની રહ્યા છીએ. સમગ્ર દેશમાં કરોડો દલિતો-શોષિતો ૧૪મી એપ્રિલે બાબાસાહેબને દિલથી યાદ કરે છે. કેમ યાદ કરે છે?

કારણ કે, એવી ભયાનક ગરીબી, જેમાં પોતાના વહાલસોયા બાળકો દવા વિના મરી જાય, પ્રાણપ્યારી પત્ની લોકોના ઘરોમાં કચરા-પોતા કરતા કરતા બિમારીમાં દમ તોડે તો પણ દલિતો-શોષિતો-વંચિતોની મુક્તિ માટે તેઓ જીવનભર ઝઝુમ્યા. (મોહનદાસ ગાંધીને તો તાતા-બિરલા-બજાજ જેવા કરોડપતિઓનો સાથ હતો).

કારણ કે, બાબાસાહેબે જાતિપ્રથાને ખતમ કરવાના સચોટ ઉપાયો બતાવ્યા. તેમણે હિન્દુ ધર્મના મંદિરોમાં પુજારી, પુરોહિત તરીકે તમામ જાતિના લોકોને બેસાડવાની ક્રાંતિકારી હિમાયત કરી, ત્યાં સુધી કે શંકરાચાર્યના પદ પર પણ માત્ર બ્રાહ્મણ શા માટે હોય એક અછૂત પણ હેાય તેવી વાત કરી. યાદ રાખજો બાબાસાહેબની પહેલા આ વાત શાહુ શાહુ મહારાજ અને સયાજીરાવ ગાયકવાડે પણ કરી હતી.

કારણ કે, બાબાસાહેબે આપણા દેશનું બંધારણ ઘડ્યું, પરંતુ તેમનું અસલી બંધારણ તો તેમણે સ્ટેટ એન્ડ માઇનોરિટીઝ નામના પુસ્તકમાં મુક્યું. તેમાં તેમાં તેમણે સમગ્ર દેશની ખેતીલાયક જમીનના રાષ્ટ્રીયકરણની વાત કરી, જમીન વિના ટળવળતા દલિતો-શોષિતો (તાતા-બિરલા-અંબાણીને નહીં) સ્વમાનભેર જીવી શકે તે માટે જમીન આપવાની હિમાયત કરી.

કારણ કે, બાબાસાહેબ બિનસાંપ્રદાયિકતામાં માનતા હતા. તેઓ માનતા હતા કે શાસકનો કોઈ ધર્મ હોતો નથી, તેનો એક માત્ર ધર્મ છે પ્રજાધર્મ. શાસક હિન્દુ નથી, બૌદ્ધ નથી, મુસલમાન નથી, ખ્રિસ્તી નથ નથી, શીખ નથી. જો કોઈ શાસક એક ધર્મર્ની તરફદારી કરે અને બીજા ધર્મના લોકો સામે ધિક્કાર ફેલાવે તો બાબાસાહેબની નજરમાં તે શાસક નથી.

કારણ કે, બાબાસાહેબ અહિંસામાં માનતા હતા. ભોળી પ્રજામાં ત્રિશુળો કે બંદુકો વહેંચીને હિંસા ફેલાવવામાં બાબાસાહેબ માનતા નહોતા.  

કારણ કે, બાબાસાહેબ કાયદાના શાસનમાં માનતા હતા. અત્યાચાર કરનારને ગુલાબના ફુલ આપીને ગાન્ધીગીરી કરીને નહીં, બલકે કાયદાના શાસન દ્વારા સીધો કરવાના ઉપાયો તેમણે આપણને આપ્યા હતા. એટલે તેમણે જેમના હાથમાં કોઈ હથિયાર નથી તેવા તથાગતનો ધર્મ અપનાવ્યો.

કારણ કે, બાબાસાહેબ સાદગીમાં માનતા હતા. પરંતુ દલિતો-શોષિતો-ગરીબો પોતડી પહેરતા ફરે અને હાંસીપાત્ર બને તેવું ઇચ્છતા નહોતા. સફાઈ કામદારની દીકરી ડોક્ટર બને પરંતુ તેણે તેની આજીવિકા તો ઝાડુ મારીને જ રળવી એવું મોહનદાસ ગાંધીએ કહ્યું હતું.
કારણ કે, બાબાસાહેબે દલિતોના સાચા પ્રતિનિધિઓ ચૂંટાઈ શકે તે માટે અલગ મતાધિકારની હિમાયત કરી હતી. તેમને દબાવવા મોહનદાસ ગાંધીએ ત્રાગું કર્યું અને સફળ થયા. આઝાદી પછી સવર્ણોના મતથી ચૂંટાતા દલિતો (રાજકીય ભિખારીઓ) આપણા પ્રશ્નો ઉકેલવાના નથી તેની બાબાસાહેબને ખબર હતી. 

કારણ કે,  બાબાસાહેબે દલિતો-શોષિતો-ગરીબોને ત્રીજા પક્ષ તરીકે સંગઠિત થવા જણાવ્યું હતું, જેથી સત્તાની સમતુલા તેમના હાથમાં રહે. દલિતોની આગેવાની હેઠળ રાજકીય પક્ષ હોવો જોઇએ એવું તેઓ માનતા હતા. (ગાંધી સવર્ણોની આગેવાનીમાં માનતા હતા.)

કારણ કે, બાબાસાહેબ દેશના ગામડાઓને ભરડો લઇને બેઠેલા જાતિવાદ સામંતી તત્વોને ઓળખતા હતા. આ ગામોમાં વખત આવ્યે તમામ સવર્ણો દલિતોની વિરુદ્ધમાં થઈ જાય છે એની તેમને જાણ હતી. એટલે તેમણે અલગ વસાહતની હિમાયત કરી હતી, કે જેમાં આવા સો-બસો ગામોના દલિતોને એક જ ઠેકાણે સરકારના ખર્ચે વસાવાય અને ત્યાં જ રોજગ રોજગારીનો પ્રબંધ પણ થાય. 

કારણ કે, બાબાસાહેબે દલિતોને અંગ્રેજીમાં લખવા, બોલવાની મોટી પ્રેરણા આપી. ગરીબોના છોકરા ગુજરાતીમાં ભણે અને મારા છોકરા અંગ્રેજી માધ્યમમાં ભણીને અમેરિકામાં સેટલ થાય એવી દંભી નીતિ બાબાસાહેબની નહોતી.

કારણ કે, બાબાસાહેબ રાષ્ટ્રપિતા મહાત્મા જોતિબા ફુલે અને સાવિત્રીમાઈના સાચા અનુયાયી હતા. રાષ્ટ્રપિતા મહાત્મા જોતીબા અને સાવિત્રીમાઈનો વારસો બાબાસાહેબે આગળ ધપાવ્યો હતો. યાદ રાખજો, સાવિત્રીમાઈએ ક્યારેય  રાષ્ટ્રપિતા મહાત્મા જોતીબાને ઘર છોડવાની ધમકી આપી નહોતી. 

કારણ કે, બાબાસાહેબ આ દેશની વિવિધતાનો આદર કરતા હતા. મારો જ ધરમ સાચો, મારી જ રહેણી કરણી સાચી એવા અંતિમવાદી બાબાસાહેબ નહોતા. હું શાકાહારી છું, એટલે માંસાહાર કરનારા હલકા છે, એમને દેશમાંથી તગેડી મુકવા જોઇએ એવું બાબાસાહેબ માનતા નહોતા.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો