કુલ પૃષ્ઠ અવલોકનો

શનિવાર, 22 ડિસેમ્બર, 2012

'ગુણવત્તા' અને 'કાર્યક્ષમતા'ની દલીલો જાતિવાદના ચેપને ઢાંકવા માટેનું સાધન છે



અનીલ પટેલ

ઇવાન ઇલીચનું વિધાન છે: "તબીબી વ્યવસાય એ પોતે જ લોકોના આરોગ્ય માટે સૌથી વધુ ખતરારૂપ છે."

ભારતમાં નવા જન્મેલા દર હજાર બાળકોમાંથી એકસોથી વધારે બાળકો તેમની પ્રથમ વર્ષગાંઠ જોવા નથી પામતા. મૃત્યુ પામતા 50 ટકા પાંચ વર્ષથી નીચેના બાળકોના થાય છે. ચાલીસથી પચાસ ટકા બાળકો ખોરાકના અભાવથી થતા રોગોથી પીડાય છે, દર વર્ષે હજારો નહીં પણ લખ્ખો બાળકો તેમની દૃષ્ટિ ગુમાવે છે. ખોરાકમાં વિટામીન ''ના અભાવને કારણે પચાસ ટકાથી પણ વધારે મહિલાઓ એનીમિયાથી પીડાય છે. અને તેઓનું સ્વાસ્થ્ય એટલું નબળું હોય છે કે બાળકો જન્મથી જ પાંગળા હોય છે, જેનાથી બાળમરણ દેખીતો વધારો થયો છે.

શું તબીબી શિક્ષણ આ પ્રશ્નોને ધ્યાનમાં રાખે છે ખરું? માહિતી તો આપણી પાસે જુદી જ છે. એમને રસ આ પ્રશ્નોમાં ઉપરલ્લો જ હોય છે. અને બીજી બાજુ ધનવાન સમાજના આરોગ્ય પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરાતું જાય છે. હ્રદયરોગ, ડાયાબીટિશ, બ્લડપ્રેશર, ચમત્કારિક સર્જરી અને તેવા વિષયો ધ્યાન ખેંચી જાય છે. આ રોગોને દરેક બાજુથી સજાવીને તેની મહેમાનગતિ થાય છે. જ્યાર મૃત્યુ તરફ લ જવામાં મુખ્ય ભાગ ભજવનાર ડાયેરિયા જેવા રોગોની એક ઝલક જ દેખાડવામાં આવે છે.

હકીકતમાં તબીબી વ્યવસ્થાને આપણા જેવા ગરીબ દેશના પ્રશ્નોના ઉકેલમાં ખરેખર રસ જ નથી. તે તો શહેરી ભણેલ-ગણેલ લોકોની જરુરીયાત સાથે અને અમેરીકા તેમજ ઇંગ્લેન્ડના બહુરાષ્ટ્રિય ઉદ્યોગો જોડે જ સંકળાવવા માંગે છે. ઉપરથી આકર્ષક લાગતી ''કાર્યક્ષમતા'' અને ''ગુણવત્તા'' માટેની દલિલો તો જાતિવાદના ચેપ ને ઢાંકવા માટેનું સાધન માત્ર છે. આ રોગ આપણી સાથે હંમેશ રહ્યો છે.

સમાજ જીવનના પ્રશ્ર્નો અંગે જાગૃત, જાતિવાદના વિરોધી અને દલિત તેમજ શોષિત પ્રજા માટે સહાનુભૂતિ ધરાવનાર તમામ વ્યક્તિઓને અમારી અપીલ છે કે ''ગુણવતા'' અને ''કાર્યક્ષમતા'' જેવી લપસણી દલીલો વિચાર્યા વગર સ્વીકારી ન લે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો